નવા બ્લોગ અંગેની કેફીયત દર્શાવતો ‘અર્પણ-પત્ર’.

સ્નેહી શ્રી ઉત્તમભાઈ,શ્રી સુરેશભાઈ,


આજે આ મારા નવા બ્લોગ ” પત્રમ્ પુષ્પમ્ “ના આરંભના પત્રમાં જ મેં આપ બંનેને સંબોધન કરીને પત્રની જુની શૈલી અપનાવી જણાય છે, પણ આજે જે હેતુસર આ લખી રહ્યો છું તેમાં આપ બંનેને અલગ રાખી શકતો નથી એટલે બંનેને સાથે જ રાખ્યા છે !

આ પત્ર મારા બ્લોગજગતના એક નવા કાર્યના ઉદ્ઘાટનના ભાગ રુપે હોઈ બ્લોગ-ગુરુ સુરેશભાઈને તથા ઉત્તમભાઈ કે જેઓ મને ગુજરાતીમાં લખતો કરનાર અને ભાષા સાથે સંકળાયેલી અનેક બાબતોને પ્રગટ કરવા માટે માર્ગદર્શક સીદ્ધાંતો સમજાવનાર ગુરુજી છે, તેમને આ પત્ર દ્વારા મારો આ નવા બ્લોગ અર્પણ કરું છું !

આજે યાદ આવે છે તા.13મી ઑક્ટૉબર, 2006નો એ દીવસ. તે દીવસે મેં સુરેશભાઈને મારો મેઈલ મોકલ્યો હતો. એ મેઈલ વીજયા ફોન્ટ્સમાં હતો જે એમને વંચાયો ન હતો ! વળતાં જ એમનો જવાબ એ જ દીવસે મળ્યો, જેમાં લખ્યું હતું,…!! “Can’t read, even with Vijaya font.”

તરત જ બીજો પત્ર મેં અંગ્રેજીમાં લખ્યો હતો. એ પત્ર પણ યાદ રહી જાય એવો હતો ! મેં પહેલા જ પરીચયે મેં એમના બ્લોગની મુલાકાત લઈને જીવનમાં બ્લોગજગતને જોવાનો અવનવીન રોમાંચક અનુભવ કર્યો હતો…. પણ માસ્તરજીવ સખણો ન રહી શકેલો અને એ પત્રમાં એમના બ્લોગ પરની એક ભુલ મેં બતાવી દીધેલી, આરંભમાં જ !!

 સુરેશભાઈ ! પ્રથમ જ મુલાકાતે મેં ભુલ બતાવવાની ભુલ કરી છતાં આપે મને કેવું સરસ લખાણ મોકલ્યું ?! વાંચો, તા.13-10-06નાં એ વાક્યો :  Thank you very much. I like precision and there are very few like you, who are so meticulous. Please point out in future also, wherever you find that corrections are necessary.
        I shall be glad to be in touch with you on this subject of mutual interest.

પછી તો તરત જ જાણે ભાઈબંધી લાગી ગઈ ! એક જ દીવસે મેં આપને ચાર પત્રો લખ્યા અને આપે પણ એ જ તારીખે કુલ છ પત્રો લખી નાખ્યા !!

ઉત્તમભાઈ, આપ તો મારા નૅટ-પ્રવેશના પ્રથમ જ વાચક બન્યા હતા ! બ્રોડબેન્ડ સાથે કોમ્પ્યુટરનું જોડાણ થતાં જ મેં વીશ્વમાં સૌથી પ્રથમ ઈ-મેઈલ આપને કર્યો ! આપે પણ મને જે જવાબ તત્ક્ષણ મોકલ્યો તે ઉત્સાહને ઉછાળ આપનાર હતો. આપે મોકલેલા મેઈલમાં આ શબ્દો કંડારેલા હતા : ” I am extremely happy that you and Ramjibhai are both available on Internet. This is a golden day for me..”

આ રોમાંચક અનુભવના સમયમાં મેં આ ક્ષેત્રે પદાર્પણ કર્યું પછી તો ભાષા અને સાહીત્યક્ષેત્રે મારી આવડત અને ગજા પ્રમાણે, યથાશક્તી-યથામતી મેં કાર્ય કર્યું.

વડીલો, મેં જુદાં જુદાં અનેક ક્ષેત્રે કાર્ય ઉપાડ્યું એ તો ઠીક છે પણ સર્જનનાં અલગ અલગ ફોર્મમાં મારી વાત પીરસવાના પ્રયત્નો કર્યા. આમાંનું એક ફોર્મ હતું પત્રો. પત્ર-લેખન મારો ખુબ જ ગમતો વીષય છે. 1967-’68 દરમીયાન ગુજરાત સમાચારના અઠવાડીક ‘શ્રી’ માં મારી સળંગ પત્ર-શ્રેણી “રમાના પત્રો” અને “રમાને પત્રો” લાંબા સમય સુધી ચાલી હતી. અહીં બ્લોગજગતમાં પણ મેં ક્ષમાના પત્રો આરંભ્યા હતા. આજે આપ બંનેને આ વાત જણાવવા રજા લઉં છું….

આ ક્ષમા’ના’ અને ક્ષમા’ને’ પત્રો પછી હવે અનેક વ્યક્તીઓને પત્રો લખવા દ્વારા પત્ર-લેખનનું મારે વીસ્તરણ કરવા મન છે. આજે એટલે જ આ નવો બ્લોગ “પત્રમ્ પુષ્પમ્” આરંભી રહ્યો છું. આજના આ નવા કાર્યને આપ બંનેને અર્પણ કરીને હું કંઈક અવનવીન અનુભવ કરી રહ્યો છું. બ્લોગનું ઉદ્ઘાટન પણ આ પત્ર દ્વારા જ કરીને હું આનંદ-ગૌરવ અનુભવું છું.

મારા બ્લોગજગતનાં સૌ સહયોગીઓ, શુભેચ્છકો, સહકારીઓ અને ટીકાત્મક અભીગમ દ્વારા પણ મને ‘જાગતો’ રાખનારાં સૌ કોઈનો હું ઋણપુર્વક આભાર માનું છું. એ સૌને પણ આ બ્લોગ અને હજી પણ આવી રહેલા બીજા એક ખુબ જ રસીક બ્લોગ, જેનું નામ આજે જ પ્રગટ થવાનું છે એટલું જ નહીં, એ બ્લોગ મારાં ઉપર જણાવ્યાં સૌને અર્પણ કરીને એ બ્લોગ પણ આજે જ ખુલ્લો મુકવાનો છું,ને પણ આપ સૌ સ્વીકારશો એવી અપેક્ષા, પ્રાર્થના છે.

આ ‘પત્રમ્ પુષ્પમ્’  —  આપ બંનેની અનુમતી માનીને સૌ સુજ્ઞવાચકોની નીશ્રામાં સાદર !!

આપનો, જુગલકીશોર.
 

5 Responses to “બ્લોગ અંગે”


  1. 1 સુનીલ શાહ August 15, 2007 at 12:02 pm

    વહાલા જુ.ભાઈ,
    સ્વાગત અને દીલી શુભેચ્છાઓ સ્વીકારશો.
    અર્પણ પત્ર ખુબ ગમ્યો..બીજાને માન આપનાર જ સાચું માન પામે છે.જાહેરમાં રુણ સ્વીકાર કરી તમે તમારો પરીચય આપી દીધો છે..ગમ્યું.લખતાં રહી સારી સામગ્રી પીરસતા રહેજો.

  2. 2 Chirag Patel August 15, 2007 at 1:58 pm

    આદરણીય જુ.કાકા! આમ જ નીતનવી વાનગીઓ પીરસતાં રહો એવી શુભેચ્છા! હાર્દીક અભીનંદન.

  3. 3 સુરેશ August 15, 2007 at 2:37 pm

    વહેવારીક રીતે અભીનંદન ! અંતરથી તો આપી જ દીધા છે.

    शुभम् भवतु ।

  4. 4 Rajendra Trivedi, M.D. August 25, 2007 at 6:52 pm

    GOOD WORK AND BEST OF LUCK.

  5. 5 DR. CHANDRAVADAN MISTRY February 1, 2008 at 12:25 am

    Dear JUGALKISHOR…..FIRST TIME ON THIS SITE…..ENJOYED READING DIFFERENT SECTIONS OF YOUR BLOG….I HAD SEEN SOME OF THE COMMENTS BY YOU ON OTHER BLOGS….SURESHBHAI STARTED THE GUJARATI MAHAJANPARCHAY BLOG & POSTED MY PROFILE..Did you visit that ? HAVE MY BLOG >> CHANDRAPUKAR..& YOU ARE INVITED…
    PLEASE visit http://www.mahajanparichay.wordpress.com
    http://www.chandrapukar.wprdpress,com
    I wish you all the best for your BLOG PATRAM PUSHPAM..DR> CHANDRAVADAN MISTRY LANCASTER CA USA

    ભાઈશ્રી , આપનો પરીચય વાંચ્યાંનું યાદ છે. હવે વધુ વીગતે તેની અને આપના બ્લોગની મુલાકાત લઈશ.અને આપનો સંપર્ક પણ કરીશ. સાભાર-સાનંદ, –જુ.

Leave a Reply




પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031