Archive for the 'Uncategorized' Category

હૃદયના કોમળ-તીવ્ર તારોને ઝંકૃત કરનારાં શબ્દવાદ્યો !

પત્રો.                                             –જુગલકીશોર.        

પત્ર-અરીસામાં વાંચનારને પત્ર લખનારનો ચહેરો દેખાય છે. વ્યક્તી-વ્યક્તી વચ્ચેના પત્રો ક્યારેક રુ-બ-રુથીય અદકેરો તોષ-પરીતોષ આપી જાય છે.

વ્યક્ત થવા માટે પત્રોનું માધ્યમ ઋજુ, સંવેદનશીલ અને સ્પંદનશીલ હોય છે. એ લચકીલું પણ ખુબ છે. એમાં વ્યક્ત થવા માટે ભાષા કોઈ અડચણ કે અટકાયત કરતી નથી. ખુબ જ સરળતાથી, સહજતાથી સંવેદનોના ઋજુ તાર પર સવાર થઈને સામે પાર, લક્ષીત વ્યક્તી સુધી જ નહીં, એની ભીતર પણ જઈ પહોંચી શકાય છે !

પત્રો ઉર્મીકાવ્યનું સ્થાન પામી શકે છે. આવા પત્રોમાં લડાઈ-ઝઘડા કે વ્યવહારોના દારુગોળાનો ભાર લાદીને એના નજાકતભર્યા પોત-ટેક્ષ્ચર-ને નુકસાન પહોંચાડવાની ચેષ્ટા ફુલ ઉપર ધગધગતા અંગારા છાંટવા જેવી બની રહે છે.

ખેપીયા દ્વારા કે પક્ષીઓની ચાંચે-પાંખે મોકલાવાતા સંદેશાઓનો એક સમય હતો. સંદેશો લઈ જનાર ખેપીયો હોય કે પક્ષી; જળપ્રવાહ હોય કે સંકેતો; સંદેશવાહક તરીકે એનું સ્થાન સંદેશો મોકલનાર અને મેળવનાર બંને માટે અત્યંત વહાલભર્યું હોય છે. આજનો ટપાલી પણ સૌનું માનીતું પાત્ર રહ્યો છે. મહાકવી  કાલીદાસે અષાઢના મેઘને દુત બનાવીને સંસ્કૃતસાહીત્યમાં જ નહીં, વીશ્વસાહીત્યમાં પણ કાવ્યસંદેશાને બહુ જ ઉંચાઈ અપાવી દીધી છે.

પત્રોમાં જેનું અત્યંત મહત્ત્વ છે તે સંદેશા ઉપરાંત પત્રની ભાષા, એમાંના સંકેતો, પત્ર કે સંદેશો મોકલવાની રીત કે શૈલી, પત્રનું સ્વરુપ વગેરે પણ ઓછું મુલ્ય ધરાવતાં નથી. વનસ્પતીમાં થતી ફલીનીકરણની પ્રક્રીયામાં પવનનું સ્થાન કેવું અદકેરું ને કાવ્યમય હોય છે ! પવનની લહેર ઉપર સવાર થઈને માઈલો દુર પહોંચી જતાં સુક્ષ્મ પુંકેસરો કે પછી પવનની પાંખે બેસીને પુષ્પોની ને ધુપસળીની સુગંધ જે રીતે ફરી વળે છે, પત્રો પણ એવી જ રીતે સ્પંદનો, પ્રેરણાઓ, ઉર્મીઓ, સંવેદનાઓનો પમરાટ ફેલાવનારાં બની રહે છે.

પત્ર મોકલનાર કે મેળવનારના હૃદયતાર હલાવી મુકનારા પત્રો તો શબ્દવાદ્યો છે, જે વીણા કે સારંગીના તારની જેમ હૃદયના કોમળ-તીવ્ર સ્વરોને અલંકૃત-ઝંકૃત કરી મુકે છે !

શુભમ્ ભવતુ…!!

વહાલા જુગલકીશોરભાઈ,

તમે તો મને સાચે જ અચંબામાં નાખી ભાવવીભોર કરી દીધો..!!

આટલું બધું? મેં તો માત્ર આંગળી ચીંધી હતી.. તેનું આવડું મોટું પુણ્ય મારા ખાતામાં?

ભલે; સંસ્કૃતમાં કહ્યું જ છે તેમ,

 ‘પરગુણ કથનૈઃ સ્વાન્ ગુણાન્ ખ્યાપયન્તઃ’  આવું કંઈક…

ટુંકમાં, તમે અમને આપેલ આ સઘળા યશથી, તમારી જ ખાનદાની, ઉજળા શીલ–સંસ્કાર  પ્રગટ થાય છે.

અમને તમારા જેવા દીલાવર, સુશીક્ષીત–શીષ્ટાચારી મીત્ર મેળવ્યાનું ગૌરવ છે.

આગળ વધતા જ રહો.. સમય આપણી પાસે ઓછો છે ને  હજી લાંબી મંઝીલ કાપવાની છે..

કુદરતની દીલી રહમ આપણને સાંપડો…!  શુભમ્ ભવતુ…!!

–ઉત્તમ અને મધુ.. સુરત.

ઋણાનુબંધને નાતે…

                                    –સુરેશ જાની. 

સ્નેહીજન,

એમ કહે છે કે સંબંધો આકાશમાં નક્કી થયેલા જ હોય છે.

સાબરમતી રેલ્વેસ્ટેશનના પાટાની એક બાજુ તમે અને બીજી બાજુ હું, એમ વર્શો સુધી આપણે રહ્યા. કદાચ તમે અમારા પાવરસ્ટેશનમાં પણ આવ્યા હશો, અને અમારા કામદારો સાથે ગોશ્ઠી પણ કરી હશે. કદાચ તે વખતે  હું પાવરહાઉસના વાયરો ચકાસવામાં કે મારી ઓફીસમાં કાર્યરત હોઈશ !  રુણાનુબંધે આપણે ફરી મળ્યા- નેટ ઉપર.  હજુ રુબરુ મળવાનું તો બાકી છે. ( આ ભાવને વાચા આપતી મારી કવીતા વાંચો.)

તમારી પાસેથી મને બહુ જ પ્રીય તેવા સંસ્કૃત છંદો મળ્યા, જે હું આમ તો ફરીથી શીખ્યો.                શાળાજીવનમાં તો માત્ર તેમની ઓળખ જ મળી હતી.  તમારા માર્ગદર્શનથી થોડાં ઘણાં કવીતડાં ય લખાયાં. 

સાહીત્ય અને ભાશાનો તમારો અભ્યાસ તો ઉત્તમ છે જ, પણ તેથી ય વીશેશ, તમારી સુજનતા, તર્કબધ્ધતા અને કાર્ય પ્રત્યેની પ્રતીબધ્ધતા મને સ્પર્શી ગયાં છે.

તમારા નવા બ્લોગમાં નવી સામગ્રી — વાનગી આપતા રહેજો, અમે સ્વીકારતાં રહીશું.

અંતરથી શુભેચ્છાઓ.  સુરેશ જાની.


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031